ગાંધીનગર, તા.૭
કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં ૭૫ દિવસ સુધી આખુ ગુજરાત બંધ રÌšં છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે આવતીકાલે ૮ જૂને અનલોકનો બીજા રાઉન્ડ શરૂ થવાનો છે. ૮ જૂનથી ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જાકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યÂક્તને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટÂન્સંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે.
ધર્મસ્થાનોમાં પણ દર્શનાર્થીઓએ ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે
ગાંધીનગર ઃ સીએમ રૂપાણીએ જિલ્લા મથકોના વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો-મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ચર્ચા કરી છે. તે અનુસાર
• સોમવારથી રાજ્યભરમાં મંદિર, દેરાસર સહિતના ધર્મ સ્થળો ખુલી રહ્યા છે.
• ભક્તોએ સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે .
• ભક્તો સીધે દર્શન નહીં કરી શકે.
• શÂક્તપીઠ અંબાજી મંદિર ૧૨ જૂનથી ખુલશે.
• વીરપુર Âસ્થત જલારા મંદિર ૧૫મી જુને ખુલશે.
• આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે સરકારી ગાઇડલાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
• કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોના દેવસ્થાનોમાં માત્ર દર્શનની છૂટ આપવામાં આવી રહી છે.
• દર્શનાર્થીઓની ભીડભાડથી કોરોના સંક્રમણનો વ્યાપ વધે નહીં તેની તકેદારી મંદિર-ધર્મ સ્થાનકોના સંચાલકો, ટ્રસ્ટોએ અને શ્રદ્ધાળુઓએ રાખવી જરૂરી
• રાજ્યના દેવસ્થાનો-શ્રદ્ધા આસ્થા કેન્દ્રો માત્ર દર્શનના હેતુસર પૂનઃ ખોલવામાં આવી રહ્યા છે.
• કોઇ મોટા ધાર્મિક મેળાવડા કે ઉત્સવો કોરોના વાયરસ સંક્રમણની પ્રવર્તમાન Âસ્થતિમાં હજુ પણ એક-બે માસ નહીં યોજવાની તેમણે અપીલ કરી હતી.
• ભક્તો ફુલહાર કે પ્રસાદ ધરાવી શકશએ નહીં અને મંદિરના સત્તાવાળાઓ પ્રસાદ વહેંચી શકશે નહીં.
• મંદિરમાં આવનાર દરેક માટે સેનેટાઇઝરની વ્યવસ્તા કરવાની રહેશે અને દરેક તેનો ઉપોય કરે તેનું ધ્ાન રાખવાનું રહેશે.
• દર્શન સમયે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાયઅને દેરકજણ માસ્ક પહેરે તે જરૂરી છે.
મોલ ખોલવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
• મોલમાં પ્રવેશતી બે વ્યÂક્તઓ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે.
• એક-એક બેચમાં લોકોને મોલમાં એન્ટ્રી આપવામાં આવશે.
• મોલમાં મર્યાદિત લોકોને જ એન્ટ્રી મળશે.
• મોલમાંની બેન્ચ પર સમય સમયે જુદી જુદી વ્યÂક્તઓ બેસતી હોવાથી તેના દરવાજાના નોબને જુદી જુદી વ્યÂક્તઓ પ્રવેશતી હોવાથી તેને વારંવાર સાફ કરવું જરૂરી છે.
• લિફ્ટના બટન અને એલિવેટરની રેલિંગ પણ વારંવાર સાફ કરવી પડશે.
• હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે
• હોટલ રેસ્ટોરન્ટ્સમાં બેસવાની ક્ષમતાના માત્ર ૫૦ ટકા લોકોને જ પ્રવેશ અપાશે
• મેનુ એક ગ્રૂપના લોકોને આપ્યા બાદ બીજા ગ્રૂપને આપી શકાશે
• લોકો પાર્સલ લઈ જાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે
ડિલિવરી કરવા જનાર વ્યÂક્તનું ફરજિયાત સ્ક્રિનિંગ જરૂરી
મોલ, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં એસી માટે સેન્ટ્રલ પÂબ્લક વર્ક ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ પાલન કરવું પડશે. તેમજ આ સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ હોટલના સંચાલકોએ ટ્રાવેલરની હિસ્ટ્રી રાખવી પડશે.. લગેજને સેનેટાઈઝ કર્યા બાદ જ હોટલમાં અંદર લેવામાં આવશે. તેમજ હોટલના સ્ટાફ એકબીજા સાથે ઈન્ટરકોમથી વાત કરે તેવી વ્યવસ્થા રાખવી પડશે.
Comments