ગાંધીનગર,
રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 681 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,999 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 19 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 227 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત જિલ્લામાં 227, અમદાવાદ જિલ્લામાં 211, વડોદરામાં 57, રાજકોટમાં 26, ભાવનગરમાં 14, જુનાગઢમાં 13, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12-12, જામનગરમાં 11, ભરુચ અને પાટણમાં 10-10 કેસ સહિત 681 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કારણે 19 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2 જ્યારે જૂનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1888 થયો છે અમદાવાદમાં 261, સુરતમાં 205, વડોદરામાં 103, ભરૂચમાં 14 સહિત કુલ 563 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 7510 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 7442 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 24,601દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments