ગાંધીનગર-

ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવશે. ત્યારે રાજ્યના પાટનગરમાં 74માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના સેક્ટર 11ના વિસ્ટાગાર્ડન ખાતે તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે પાટનગરમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે રાજ્યમાં કોરોનાના વધતા કહેરને લઇને અન્ય કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં છે. આ વખતે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ યોજાવાનો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપવાના છે.

દુનિયામાં હાલ કોરોના વાયરસની મહામારીનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોનાને લઇને દેશમાં અનેક રીતે સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. દેશમાં આવતી કાલે 74માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને લઇને ગાંધીનગર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે.