ગાંધીનગર-

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો વચ્ચે મારામારી થઈ રહી છે.

મળતી માહિતી મુજબ મારામારીમાં કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ પર છાતીના ભાગે તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત થયું છે. જ્યારે અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને શરીરનાં પાછળના ભાગે તીક્ષ્‍ણ હથિયાર ભોંકી દેવાયું હતું. આ ઉપરાંત તેને આંગળી અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં ઇન્ફોસિટી વિસ્તારમાં અપના અડ્ડા રેસ્ટોરન્ટ પાસે એક યુવકની હત્યા થઈ છે. યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારામારી કયા મુદ્દે થઈ હતી તે જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.