ગાંધીનગર, ગાંધીનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ‘ વિધાનસભા સામે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે યોજાયો હતો. આજના ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ‘માં ઉપસ્થિત સર્વેએ પંજાબમાં કોંગ્રેસ સરકારે ગંદી નિમ્ન રાજનીતિ કરીને વડાપ્રધાનના જીવને જાેખમમાં નાખવાના કરેલા દુષ્પ્રયાસ અને હલકી રાજનીતિને વખોડી કાઢી ‘મૌન ધરણા’ કર્યા હતા તેમજ પીએમ મોદી દીર્ઘાયુ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, મહામંત્રી કનુ દેસાઈ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નાઝાભાઈ ઘાંઘર, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.