ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ સરકારે જે સાવચેતીના પગલા લીધા છે તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર તારીખ 24મી નવેમ્બરથી તા. 30 નવેમ્બર, 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા મંદિરને 23મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રહેશે. 30મી નવેમ્બરના રોજ જે તે સ્થિતિની સમિક્ષા કરીને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.