મુંબઈ, તા.૨૮
પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્ણણનું કહેવું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ રાહુલ દ્રવિડની જાડી ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં ઘણી મહત્વની હશે. લક્ષ્મણે કહ્યું કે, જા ભારતીય ક્રિકેટ ટીમ તમામ ફોર્મે ટમાં સફળ થવું હશે તો ગાંગુલી અને દ્રવિડની જાડી બની રહે તે ખૂબ જરૂરી છે.લક્ષ્મણે સ્ટાર સ્પોટ્ર્સના શો ક્રિકેટ કનેકટેડમાં કહ્યું, આ ખૂબ સારું છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ રાહુલ દ્રવિડ વચ્ચે ભાગીદારી ખૂબ જરૂરી છે. જા ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં સફળ થવું હશે તો આ ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે.
ભારતના મહાન કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલી અને ધ વોલ તરીકે ઓળખતા રાહુલ દ્રવિડે ૨૦ જૂન ૧૯૯૬ના રોજ એક સાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. લોડ્ર્સમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચમાં ગાંગુલીએ સદી ફટકારી હતી, જ્યારે દ્રવિડ સદી બનાવવાથી માત્ર પાંચ રન દૂર રહી ગયો હતો. ગાંગુલીએ ડેબ્યૂ ટેસ્ટમાં ૩૦૧ બોલ પર ૧૩૧ રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે ૨૦ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રાહુલ દ્રવિડે ૨૬૭ બોલનો સામનો કરી છ ચોગ્ગાની મદદથી ૯૫ રન બનાવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments