મોડાસા-

નવલી નવરાત્રી પુર્ણ થતા ભાવિ ભક્તો દ્વારા ગરબા ને વળાવી ને માતાજી પરિસરમાં મૂકી માંના આશિર્વાદ લેતા હોય છે મોડાસા શહેરમાં જન સેવા સેતુ તથા શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા ઓધારી માતાજી મંદિર પરિસરમાં વળાવવામાં આવેલ ગરબીઓનો સદુપયોગ કરી ને પક્ષી ઘર મા રૂપાંતર કરી ને તેને અલગ અલગ વૃક્ષો પર લગાડી ને પક્ષીઓ માટે નાના ઘર જેવી વ્યવસ્થા કરી ઉભી કરવામાં હતી. આ અનોખી પહેલ સાંઈ મંદિરના પૂજારી ભોલાભાઈ જોશી અને દિશાંતભાઈ ત્રિવદી ના માર્ગદર્શન હેઠળ ગ્રુપ ના વંદન રાવલ, મનન જોશી, વિકી બારોટ, મહર્ષ ભાવસાર તથા ગ્રુપ ના તમામ સભ્યોએ ગરબાને પક્ષી ઘરમાં રૂપાંતરિત કરી વૃક્ષો પર લગાવવા ભારે જહેમત ઉઠાવી હતી માઇભક્તોએ આ અનોખી પહેલની ભારે સરાહના કરી હતી.