વડોદરા પાલિકાનું તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે. તેમજ વિવિધ સ્થળોને ધ્યાનમાં લઈને એના માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઓવરબ્રિજો અને તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ માત્ર ફોટો શેસન કરવામાં પાવરધા નેતાઓ જ્યાથી રોજ પસાર થાય છે. એ માર્ગની આસપાસમાં રહેલા ગંદકીના ઢગલાઓને નજર અંદાજ કરતા હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મેયરના રાજમહેલ સામે આવેલ નિવાસ સ્થાનની અત્યંત નજીકમાં આવેલ લાલબાગ બ્રિજની નીચે ગંદકીના ઢગલે ઢગલા પડી રહયા છે. પરંતુ એની સફાઈ કરવાનું તંત્રને સૂઝતું નથી.