વડોદરા

વેદોના પ્રચાર-પ્રસાર અને સંરક્ષણ અંતર્ગત વડોદરામાં આવેલા શુક્લ યજુર્વેદ (કાણ્વ શાખા)ના ૧૬ વિદ્ધાન બ્રાહ્મણો દ્વારા માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂ.ગો. વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં ઘનપાઠ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ.પૂ.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણા અને આશીર્વાદથી વીવાયઓ વડોદરા દ્વારા આયોજિત શુક્લ યજુર્વેદ (કાણ્વ શાખા)ના વેદમંત્રોનું દક્ષિણ ભારતથી આવેલા ૧૬ વિદ્ધાન બ્રાહ્મણો દ્વારા સામુહિક મંત્રોચ્ચાર - ઘનપાઠ પારાયણ પ.પૂ.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલની પાવનભૂમિ ઉપર થયું હતું જેમાં અનેક મહાનુભાવો અને ભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ વીવાયઓ વડોદરાના મંત્રી રશ્મીબેન શાહ (નોટરી) અને સંજય શાહ (સીએ)ના યજમાનપદે આયોજિત કરવામાં આવ્યો હતો.