રાજકોટ-

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં બંધ મકાનમાં દીપડો ઘુસ્યો હતો. બંધ મકાનમાં દીપડો ઘુસ્યો હોવાની માહિતી મળતા તેને જોવા માટે માટે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગને આ ઘટનાની જાન થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. વનવિભાગના અધિકારી બંધ મકાન પાસે ગયા ત્યારે દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો. અને તેઓ લોહીલૂહાણ બન્યા હતા. બાદમાં દીપડો ઘરમાંથી બહાર નીકળતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો સાથે નગરપાલિકા પ્રમુખ અને સાંસદ રમેશ ધડૂક પણ સ્થળ પર પહોંચ્યા હતા