ગાંધીનગર-
કોરોનાના મહામારીને કારણે રાજ્યય સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.
મળતી માહિતી મુજબ, હવે શિયાળો શરૂ થશે. હાલની પરિસ્થિતિમાં તો કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટી રહ્યું છે ત્યારે સરકાર દિવાળી બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તે પછી જ કોઇ ચોક્કસ નિર્ણય લેઇ શકે છે. પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ, મોરબી જિ.પં. પ્રમુખ ભાજપમાં જોડાયા માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. સંભાવના તો એવી પણ છે કે, ડિસેમ્બર સુધીમાં કોરોના વાયરસને નાથવા માટે કોઇ રસી પણ આવી શકે છે. એટલે સૂત્રોનું માનીએ તો ડિસેમ્બરમાં ગુજરાતમાં શાળા ખૂલે તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે 15 માર્ચના રોજથી ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 7 મહિનાથી સ્કૂલો બંધ છે. બાળકો નવા શૈક્ષણિક વર્ષનું ભણતર ઓનલાઇન જ લઇ રહ્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments