ગાંધીનગર-

ગુજરાતમાં ૨૧મીથી સ્કૂલો શરુ થવા જઈ રહી છે. ત્યારે હાલ વાલીઓ-સ્કૂલો અને વિદ્યાર્થીઓમાં અસમંજસનો માહોલ છે. ત્યારે આજ રોજ શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ યોજીને અગામી રણનીતિ પર ચર્ચાનો દોર શરુ કરી દિધો છે. જેમાં અધિકારીઓને કેન્દ્ર સરકારની એસઓપી-ગાઈડલાઈનનો વિગતવાર અભ્યાસ કરી રિપોર્ટ આપવા શિક્ષણમંત્રીએ જણાવ્યુ છે. અભ્યાસ બાદ સરકાર એક-બે દિવસમાં સ્કૂલો શરુ કરવા અંગે નિર્ણય લઈ શકે છે. જો કે કેન્દ્ર સરકારની એસપીઓ ગાઈડલાઈનમાં મોટા ભાગે રાજ્યમાં સ્કૂલો શરુ કરવા માટે જાણાવવામાં આવ્યું છે.

વાલીઓ-સ્કૂલો અને વિદ્યાર્થીઓમાં અસમંજસ

ઘણા સંચાલકો સ્કૂલો શરૃ કરવા તૈયાર નથી. તો ઘણા વાલીઓ બાળકોને હજુ સ્કૂલે મોકલવા રાજી નથી. જ્યારે ઘણા સ્કૂલ સંચાલકો ૨૧મીથી સ્કૂલો ખોલવા તૈયાર છે. 

આમ સરકારે વધતા કોરોના કેસ વચ્ચે કોઈ વિવાદ ન થાય તે માટેના પગલા હાથ ધર્યા છે. જો કે ૨૧મીથી વાલીઓ પોતાની સંમંતિથી બાળકોને માત્ર શિક્ષકોના માર્ગદર્શન માટે સ્કૂલે મોકલી શકશે. વિદ્યાર્થીઓની હાલ કોઈ પણ જાતની હાજરી ધ્યાને નહી લેવાય.

આ લોકોને સ્કૂલમાં એન્ટ્રી નહીં મળે 

કોરોનાના લક્ષણોવાળા વિદ્યાર્થીઓ અથવા ટીચર, કર્મચારી બીમાર જણાય તો સ્કૂલમાં પ્રવેશ નહીં મળે. વિદ્યાર્થી, ટીચર અથવા તો કર્મચારીમાં લક્ષણો જણાય તો તેમને તરત આઈસોલેટ કરવા પડશે. વિદ્યાર્થીઓના કિસ્સામાં તેમના વાલીઓને જાણ કરવી પડશે. જ્યાં સુધી ડોક્ટર તપાસ ન કરે ત્યાં સુધી તેમને ફેસ માસ્ક પહેરવું પડશે.