ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, જામનગર કોર્પોરેશન, પંચમહાલ, પાટણ, સુરત અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફક્ત એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે, જેમાં આજની તારીખે કુલ 1268 કેન્દ્ર ઉપર 33,642 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4,53,161 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બરોડા કોર્પોરેશનમાં 69 જેટલા કેસ નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદમાં 47 સુરતમાં 43 અને રાજકોટ કોર્પોરેશનમાં 18 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 274 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 430 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 97.26 ટકા નોંધાયો છે.