અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 485 થી વધુ નોંધાયા છે. જેની સામે 709 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4369 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 485 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,56,852 થયો છે. તેની સામે 2,46,516 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 485 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2ના મોત નિપજ્યા છે. રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.98 ટકા થયો છે.

રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,56,852 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 5967 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,56,852 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 5967 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 52 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 5915 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,46,516 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4369 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.