અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 540 થી વધુ નોંધાયા છે. જેની સામે 738 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 03 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4360 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 540 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,54,854 થયો છે. તેની સામે 2,43,639 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,54,854 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 6850 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,54,854 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 6850 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 55 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 6795 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,43,639 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4360 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.