અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 615 થી વધુ નોંધાયા છે. જેની સામે 746 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 03 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4344 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 615 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,51,944 થયો છે. તેની સામે 2,39,771 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,51,944 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 7829 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,51,944 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 7829 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 61 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 7768 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,39,771 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4344 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.