અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 910 થી વધુ નોંધાયા છે. જેની સામે 1114 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 06 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4268 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 910 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,39,195 થયો છે. તેની સામે 2,25,206 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,39,195 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 10,631 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,39,195 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 10,631 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 62 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 10,569 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,25,206 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4268 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 03 દર્દીના મૃત્યુ નોંધાયા છે.