ગાંધીનગર-
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 64મો જન્મદિવસ પણ છે. જોકે, કોરોનાકાળમાં આ મહત્વની ઘટનાઓની ઉજવી શકાઈ નથી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને તેઓના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી છે. તો ટ્વિટર પર મુખ્યમંત્રીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ દેશવિદેશમાંથી મળી રહી છે. ટ્વિટર પર હાલ CM of Gujarat ટ્રેન્ડ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી આજે રવિવાર 2 ઓગસ્ટના દિવસે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે. તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે. વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે.
વિજય રૂપાણી પોતના 64માં જન્મદિવસે પણ સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષા અને સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સૂરત જવાના છે. મુખ્યમંત્રી આ પૂર્વે આવતીકાલે રવિવારે સવારે 10 30 વાગ્યે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 71માં વન મહોત્સવનો રાજકોટ ખાતે પ્રારંભ કરાવીને હરિયાળા ગુજરાતની સંકલ્પનામાં સમગ્ર રાજ્યના નાગરિકો-પ્રજાજનોને જોડાવા પ્રેરિત કરશે.
1 લાખના ચેકનું કરશે વિતરણ
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાને કારણે જેમને સૌથી વધુ આર્થિક સહન કરવાનો વારો આવ્યો છે તેવા રોજનું કમાઇને રોજ ખાનારા નાના ઘંઘા- રોજગાર કરનારા કારિગરોને ફરીથી બેઠા કરવાનો આર્થિક આધાર આપવા રૂપિયા 1 લાખની લોન માત્ર 2 ટકા વ્યાજે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતગર્ત આપવાની સંવેદશના દર્શાવેલી છે.
મુખ્યમંત્રીશ્રી આવા નાના રોજગાર ઘંઘો કરનારા લોકોને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા અપાનારા રૂ. 100 કરોડના લોન સહાય ચેકનું વર્ચ્યુઅલ વિતરણ પણ પોતાના જન્મદિવસે ગાંધીનગરથી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ થી કરશે.
Comments