ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેરની સાથે સાથે પોતાના સ્નેહીજનોના મૃત્યુ થતા મહાનગરોના લોકોને લાંબી લાઈનમાં પ્રમાણપત્ર મેળવવા માટે ઉભુ રહેવું પડતું હતું. આ દરમિયાન પણ સંક્રમણનો ખતરો રહેલો હોય છે. સમગ્ર ગુજરાતની જનતાને થઈ રહેલી હાલાકીને ધ્યાનમાં લઇ અને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ફરી એક વખત સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.મહાનગરો અને નગરપાલિકામાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે, જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે, અને તે કારણે જ આ બારીઓ બંધ કરવામાં આવી છે.લોકોને પ્રવર્તી રહેલા ભયમાંથી મુખ્યમંત્રીએ મુક્તિ આપી છે. હવે જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે. ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી અને લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે.ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. ટૂંક જ સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે જ્ન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.