અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1010 થી વધુ નોંધાયા છે. જેની સામે 1190 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4234 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1010 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,35,299 થયો છે. તેની સામે 2,19,125 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,35,299 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 11,940 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,35,299 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 11,940 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 61 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 11,879 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,19,125 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4234 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 05 દર્દીના મૃત્યુ નોંધાયા છે.