અમદાવાદ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં 2 તબકકામાં ચૂંટણી યોજાશે. તો ચૂંટણીને લઈને રાજ્યમાં જે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુ છે તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે.
1 ફેબ્રુઆરીથી 4 મનપામાં રાત્રી કર્ફ્યુ હટાવાઈ શકે છે. જો રાત્રી કર્ફ્યુ ના હટાવાય તો રાત્રી કર્ફ્યુમાં છુટછાટ અપાઈ શકે છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. નોંધનીય છે કે, એક સમયમાં રાજ્યમાં કોરોના કેસનો આંકડો 1600 સુધી પહોંચી ગયો હતો, ફક્ત અમદાવાદમાં જ 400થી વધુ કેસ આવતા હતા જેને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ચૂંટણીને લઈને માસ્ક ના પહેરવા બદલ વસૂલાતા દંડની રકમમાં પણ ઘટાડો કરવા ભલામણ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસર પડી શકે છે. તો કેટલાક IAS-IPS અધિકારીએ પણ માસ્કના દંડની રકમ 100-200 કરવાનો મત વ્યક્ત કર્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments