અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1340 થી વધુ નોંધાયા છે. જેની સામે 1113 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3830 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1340 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,92,982 થયો છે. તેની સામે 1,76,475 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,92,982 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 12,677 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,92,982 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 12,677 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 87 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 12,590 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,76,475 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3830 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 03 દર્દીના મૃત્યુ નોંધાયા છે.