ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે કમલમ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજાે અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈએ જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે જતન કર્યું છે. આજે ગુજરાતની જનતાનો હું આભારી છું.

તેમણે વધુમાં કહ્યું કે, સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે. તમામ લોકોને સાથે લઈને ચાલશે. અમારી જવાબદારી વધી છે. પ્રજાએ પ્રેમ આપ્યો છે. વિશ્વાસ એળે નહિ જાય તેની ખાતરી આપુ છું. ગુજરાતના સપનાઓ પૂરા કરવાના ખાતરી આપું છું. કાર્યકર્તાઓએ પ્રજાનો વિશ્વાસ હજી વધારવાનો છે. ચૂંટાયેલા લોકો એ રીતે કામ કરે. આ વિજયને કાર્યકર્તાઓ વિનમ્રતાથી ઉજવે. પંચાયતોમાં કોંગ્રેસનું ચાલ્યુ હોય તો કાઉન્ટિંગ પણ ન થવા દેત. કોંગ્રેસને પહેલેથી ખબર પડી ગઈ હતી કે, તેમનુ નહિ ચાલે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે.

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાનો ભાજપ વતી આભાર અને ધન્યવાદ માનું છું. સી.આર. પાટીલને અભિનંદન આપું છું. લાખો કાર્યકર્તા અને સંગઠનનો વિજય છે. આ વિજય વિક્રમજનક વિજય છે. ભૂતકાળમાં કોઇ પણ રાજકીય પાર્ટીને આટલી બેઠકોને નથી મળી. વિકાસની રાજનીતિ ચૂંટણીનો મુદ્દો હતો એ જ મુદ્દા પર અને વિચલિત થયા વગર આગળ વધ્યા હતા. ૨૦૨૨માં કરી ભાજપની સરકાર બને તેનો આજે પાયો નંખાયો છે. અમારી જવાબદારી વધે છે. પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે તેમનો વિશ્વાસ એળે નહિ જાય તેવી ખાતરી આપું છું. આ વિજયને વિનમ્રતાથી ઉજવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરુ છું. તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, કોંગ્રેસ હારને પાછી કે ઠલવતી હતી. કોંગ્રેસ ડુબતુ નાવ છે. પ્રજાએ ગોતી ગોતીને તેમને હરાવ્યા છે. હવે કોઈનો વિસ્તાર રહ્યો નથી. ગત વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો બદલો પ્રજાએ વ્યાજ સાથે આપ્યો છે. પ્રજાએ કોંગ્રેસને સત્તા માટે નહિ વિપક્ષ માટે પણ મંજૂરી નથી આપી. ઓવર કોન્ફિડન્સ અને લાપરવાહી ન રહે તેની ચિંતા ભાજપ કરશે.

૨૦૧૫માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું પાટીલ

બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જાેવી મળ્યું છે. ૨૦૧૫ માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. ૨૦૧૫માં ભાજપ ૫ જિલ્લા પંચાયતોમાં લીડ પર હતું આજે ૩૧ પંચાયતોમાં લીડ પર છે. મે ૩૧ સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ ૩૧ જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજાે પુર્ણ કરશે.’

ભાજપના કાર્યકરોએ ગુલાલ ઉડાડી જીતની ઉજવણી કરી

અમદાવાદ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ ૮૪૭૪ બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેથી વહેલી સવારથી મત ગણતરી સ્થળો પર અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. મંગળવારે ૨૦૨૧ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જનતા કોને પંચાયતોનો તાજ પહેરાવશે તે અંગે લગભગ બપોર સુધીમાં ર્નિણય થઈ જાય એવી શક્યતા છે. તેવામાં લુણાવાડાના ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કરતા પહેલા શ્રીફળ વધેરીને શરૂઆત કરી હતી. લુણાવાડાની સાયન્સ કોલેજમાં મતગણતરી કેન્દ્ર ખાતે પહેલી વાર આ પ્રકારે શ્રીફળ વધેરીને મત ગણતરી પ્રક્રિયાની શરૂઆત કરાઈ હતી. તો બીજી બાજુ મોડાસામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી અધિકારીઓ અને મત ગણતરીની કામગીરીમાં જાેડાયેલા કર્મચારીઓ વહેલી સવારથી મતગણતરી સ્થળે હાજર રહ્યા હતા. જેમાં ચૂંટણી અધિકારીએ શ્રીફળ વધેરી ભગવાનનું નામ લઈને આજના મહત્તવના દિવસે મતગણતરીની કામગીરી વિના વિઘ્ને પાર પડે તેવી પ્રાર્થના કરી હતા. સ્ટાફના કર્મચારીઓનો આગ્રહ હતો કે ગણતરીની શુભ કાર્યવાહી પહેલા ભગવાનને પ્રાર્થના કરવામાં આવે. જેને લઈને શરૂઆતમાં અહીંયા શ્રીફળ વધેરવામાં આવ્યું અને ભગવાન ગણેશજીના મંત્રના જાપ કરીને મત ગણતરી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી.