ટીવી એક્ટર અને ગુજરાતી તખ્તાના વિખ્યાત કલાકાર જગેશ મુકાતીએ 10 જૂને અંતિમ શ્વાસ લીધા હતા. જગેશ ટીવી શો અમિત કા અમિત શ્રી ગણેશની સાથે અનેક ફિલ્મો આને નાટકોમાં પણ કામ કરી ચૂક્યાં છે. અહેવાલ મુજબ, તેઓ 3-4 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમનાં નિધનથી સિનેમા અને ટીવી જગતમાં ફરી એકવાર શોકની લહેર ફરી વળી છે.