અમદાવાદ-

ગુજરાતી અભિનય જગતથી દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના જાણીતા દિગ્ગજ કલાકાર અને એક ડાળના પંખી જેવી પ્રસિદ્ધ ગુજરાતી સિરિયલોમાં કામ કરનાર કલાકાર હસમુખ ભાવસારનું નિધન થયું છે. હસમુખ ભાવસારનું નિધન થતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરીવળ્યું છે.

આપને જણાવી દઈએ કે, હસમુખ ભાવસારે અનેક ગુજરાતી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. એક ડાળના પંખી તેમજ ભલા ભુસાના ભેદભરમ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમને છેલ્લી સિરિયલ 'મામાનું ઘર કેટલે'માં પણ કામ કર્યું છે.તેઓ તેમના ઘેઘૂર અવાજ માટે જાણીતા હતા. તેઓએ અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા હતા.