રાજકોટ-

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધાર્મિક ગતિવિધીઓને ગ્રહણ લાગી ગયું છે, જ્યારે આ વર્ષે પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને લોકોની ભીડ એકઠી ન થાય તે જરૂરી છે. જ્યારે રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટા ભાગના શહેરોમાં લોક મેળો યોજાતા હોય છે અને લોકોની જનમેદની ઉમટી જાેવા મળે છે. ત્યારે આ વખતે પણ રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો નહીં યોજાય તેવો ર્નિણય લેવાયો છે. આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કહેરને લઇને આ મેળો રદ કરવાનો ર્નિણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તેમજ રાજકોટમાં યોજાતા ૧૦૦થી વધુ ખાનગી મેળા પણ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજકોટના ઇતિહાસમાં બીજીવાર ૫૧ વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળામાં અંદાજે ૧૦ લાખ લોકો મેળાનો આનંદ લે છે.