વડોદરા, તા.૧૪

 વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદિપતિ વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી ગત તા.૧ માર્ચના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર બાદ સતત તબીબી નિરીક્ષણ હેઠળ સારવાર આઈસોલેશનમાં વ્રજધામ સંકુલમાં કાર્યરત બની હતી. આ પરિસ્થિતિને કારણે આયોજિત તમામ કાર્યક્રમો રદ કરાયા હતા. તા.૧૬ માર્ચથી કાર્યરત થશે. હોળી-ધુળેટી પૂર્વ કે જેનું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં અનેરું મહત્વ હોય છે. વસંત પંચમીથી મહા સુદ-પ સુધી ૪૦ દિવસ સુધી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શ્રીઠાકોરજીને લાડ લડાવવા વસંતોત્સવનો અનેરો અલૌકિક અવસર સંપન્ન થાય છે.