બનાસકાંઠા,તા.૧ 

બનાસકાંઠા જિલ્લાના બાલુન્દ્રા ગામમાં મનરેગાના ૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. મનરેગામાં કામ ન કર્યું હોય એવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા, એટીએમ કાર્ડ ખુલી ગયા અને જોબકાર્ડ બની ગયા છે. તાલુકા વિકાસ અધિકારીની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા છે. બનાસકાંઠા જિલ્લાનું ૫૦ કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલામા કાૅંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કાળમાં ઘણા લોકો બેકાર બન્યા છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લગભગ ૩૫૦ ગામમાં મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતના બાલુન્દ્રા ગામે ખૂબ મોટું કૌભાંડ થયું હોવાનો આ બન્ને આગેવાનોએ આક્ષેપ કર્યો છે.

રૂપિયા ૮થી ૧૦ કરોડનું કૌભાંડ આ ગામમાં આચરવામાં આવ્યું છે. કોરોનાના કાળમાં પણ રાજ્ય સરકારનું વર્તન અતિ ગંભીર બાબત છે . જોબકાર્ડ પણ વેબસાઈટ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે. આ એક રાજ્યવ્યાપી કૌભાંડ છે. કૌભાંડ કરનાર તમામ લોકોની ધરપકડ થવી જોઈએ..આખા બનાસકાંઠા જિલ્લામાં કૌભાંડ ચાલે છે.હોવાનો આક્ષેપ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કર્યો હતો.

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રાજ્ય સરકારની જવાબદારી છે. ગરીબ પરિવારને મદદ મળે પરંતુ ગુજરાતમાં મનરેગાનું ખૂબ જ મોટું કૌભાંડ થયું છે.

ગરીબ લોકોના ખોટા એકાઉન્ટ બનાવમાં આવે છે. રાજ્યના દરેક ગામડામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. રૂપિયા ૫થી ૧૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી તમામ લોકો આ કૌભાંડમાં સામેલ છે. જેથી અમારી માંગણી છે કે, આ કૌભાંડ અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બીજેપી કૌભાંડ કરવામાં માસ્ટર છે. આ પ્રકારનું કામ નપુસંક કામ કરેલા તેવો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો છે.