અરવલ્લી : કલ્યાણ ચોક નગર વિકાસ મિત્ર મંડળ દ્વારા ૩૮મા નવરાત્રી મહોત્સવના આ વર્ષે વૈશ્વિક મહામારીના લીધે સાદગીપૂર્વક ઉજવણી કરવામા આવી હતી. માતાજીની આઠમના દિવસે પરંપરાગત માતાજીનું હવન યોજાયું હતું.હવનના યજમાનો સૌરભ ત્રિવેદી,ગલુભાઈ સોની અને ચેતન સોનીએ યજ્ઞમાં આહુતિ આપી મા આદ્યશક્તિની આરાધના કરી મહાપર્વનો પરંપરાગત ઉત્સવ મનાવ્યો હતો. કલ્યાણ ચોક નવરાત્રી મહોત્સવના કન્વીનર ભાવીન ભાવસાર, કેતનભાઈ ત્રિવેદી, સંજય ભાઈ, હિતેન્દ્રભાઈ જોષી, લાલજીભાઈ, મિતુલ શુક્લ, લલિત દરજી, ધૃમલાભાઈ, ભોલાભાઈ, અલ્પેશભાઈ, કલ્પેશભાઈ મહેન્દ્રસિંહ, મહોત્સવના કારોબારી સભ્યોએ આઠ દિવસ સુધી કલ્યાણ ચોકમાં ઉપસ્થિત રહી સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવી આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આઠમના હવન નિમિતે ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચાર અને આદ્યશક્તિની આરતી ઉતારી હતી.