રાજકોટ-

દારૂના નશામાં લોકો કંઈ પણ કરી નાખે છે ત્યારે રાજકોટમાં તો દારૂના નશામાં ચૂર એક પિતાએ પોતાના જ 8 વર્ષના બાળકને ઢોર માર મારી તેની હત્યા કરી નાખી હતી. બાળકને ઢોર માર મરાતા તેની તબિયત લથડી હતી. એટલે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. જોકે, લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, દારૂના નશામાં ચૂર પિતાએ બાળકને ઢોર માર મારતા બાળકનું મોત થયું છે. આ મામલે 8 વર્ષના બાળકનું પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તે દરમિયાન બાળકનું કયા કારણોસર મોત થયું છે તે સામે આવશે. 8 વર્ષના બાળકનું માર મારવાના કારણે મોત થયાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમ જ તાલુકા પોલીસે આ બાળકનું મોત કયા કારણોસર થયું છે તે જાણવા માટે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટ કરાવ્યું હતું. જ્યારે બાળકના પિતાએ પોતે બાળકને માર માર્યો હોવાની તાલુકા પોલીસને કબૂલાત આપી હતી. રાજકોટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ પોતાના 8 વર્ષના બાળકને લાકડીથી માર મારતા બાળકનું મોત થયું છે. જોકે, બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાળકને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે, બાળકનું મૃત્યુ થયું હતું.