ભુજ-

ભૂજ ખાતેની જી. કે જનરલ સિવિલ હોસ્પિટલમાં ૭ વર્ષની વયના બાળકની ડાબી આંખમાં ઈજજા થવાથી મોતિયાનું ઓપેરેશન કરવામાં આ્યુ હતું. ઈજાને કારણે મોતિયો ફાટી ગો હતો અને આંખમાં કણ કણમાં વેરાઈ જવાથી દ્રષ્ટિ સદંતર લુપ્ત થઈ ગઈ હતી પણ અદાણી સંચાલિત હોસ્પિટલમાં ગયા બાદ આંખ અને એનેસ્થેટિક વિભાગના તબીબોએ ઓપરેશન કરી બાળકની આંખમાં નેત્રમણિ આરોપી અને બે જ દિવસમાં બાળકની દ્રષ્ટિ પુન: સ્થાપિત કરી દીધી છે.

હોસ્પિટલની આંખ વિભાગના આઈ સ્પેશિયાલિસ્ટ અને એસો.પ્રો. ડો. અતુલ મોડેસરાએ કહ્યું કે, ભુજની જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા અલ્પેશ પી પરમાર નામના બાળકને કોઈ કારણસર આંખમાં ઈજજા થવાથી જી.કે.માં ચકાસણી અર્થે આવ્યા ત્યારે તે બાળકને તપાસ કરતાં જણાયું કે, મોતિયાની પાછળના ભાગનું પ્રવાહી આગળ પ્રસરી ગયું હતું. આવી પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જરૂરી લાગતાં બાળકને તાત્કાલિક ઓપરેશન પર લઈ વેરાઈ ગયેલા મોતિયાના કણને દૂર કરી દેવા આવ્યા. અને નવી નેત્રમણિ બેસાડવામાં આવી. એ સાથે બીજા દિવસથી જ બાળકને દ્રષ્ટિમાં ચેતના આવી ગઈ. અને બંને આંખે એ બાળક પૂર્વવત દેખતું થઈ ગયું છે.

તેમણે કહ્યું કે, મોતિયાના ઓપરેશનમાં મોતિયો કાઢવો સહેલો છે. પરંતુ, ઈજજાને કારણે અને તેમાય બાળક હોય ત્યારે મોતિયાના ટુકડા થઈ ગયા હોય તેવી પરિસ્થિતીમાં ખૂબ સાવધાની વર્તવી પડે છે. એટ્લે જ આવા ઓપરેશન સામાન્ય રીતે મોટા શહેરોમાં થાય છે. પરંતુ, અહી, જી.કે.માં આ પ્રકારે આવું અસાધારણ ઓપરેશન કરી વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. આ શસ્ત્રક્રિયામાં આંખ વિભાગના નિષ્ણાંત રેસિ. ડો. દિવ્યાંગ પટેલ, કિંજલ પટેલ, ઉપરાંતએનેસ્થેટિક વિભાગના એસો.પ્રો. ડો. જલદીપ પટેલ, રેસિ. ડો. અંકિત સોરઠિયા અને ડો. વૈભવી પટેલ જોડાયા હતા.

તબીબોએ બાળકોને આંખની ઈજજાથી બચાવવા માટે લેવાની થતી કાળજી અંગે કહ્યું કે, ઈજજા થાય એવી રમતોથી દૂર રહેવું જોઈએ. બાળકોએ તેમની વયને યોગ્ય રમકડાંથી રમવું જોઈએ. પ્રોજેકટાઈલ રમકડાંથી પણ દૂર રાખવા જોઈએ. બાળકને પેલેટ ગન્સથી રમવા ન દો ઉપરાંત, નાની-મોટી રમતોથી ઈજજા ના થાય તેની સંભાળ રાખવી. અને જો નાના બાળકોને કેમિકલ કે સ્પ્રેથી દૂર રાખવા. ઈજજા થાય તો તાત્કાલિક તબીબી મદદ મેળવવા જણાવ્યુ હતું .