દુબઇ

ભારતીય ટીમના નવ વિવાહીત યુગલ એટલે કે યુઝવેન્દ્ર ચહલ  અને તેની પત્નિ ધનશ્રી આજકાલ દુબઇ  માં છે. ન્યૂ મેરીડ કપલ દુબઇમાં લગ્ન બાદના દિવસો  ને માણી રહ્યા છે. ખાસ વાત આ દરમ્યાન એ પણ રહી છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની  અને તેમનુ પરિવાર પણ હાલમાં દુબઇમાં છે. તે IPL પૂર્ણ કરીને રાંચી આવ્યા બાદ ફરી થી તે દુબઇ આવ્યા છે.


દુબઇ પહોંચ્યા બાદ જ્યારે ચહલે તેના પૂર્વ કેપ્ટન ધોનીને યાદ કર્યા હતા. ધોનીએ પણ આ નવ યુગલ દુબઇમાં હોઇ ડિનર માટે આમંત્રણ પાઠવ્યુ હતુ. ધોનીની પત્નિ સાક્ષીએ નવ યુગલના સ્વાગત માટે જબરદસ્ત આયોજન કર્યુ હતુ. તેમના માટે આયોજીત કરેલ ડિનર પાર્ટી કંઇક ખાસ વ્યવસ્થા થી ભરેલી હતી. 

ચહલે સોશિયલ મિડીયા પર ધોનીના દુબઇ વાળા ઘરે ચહલે પોતાની મહેમાન નવાજીની તસ્વીર ને શેર કરી હતી. પ્રથમ તસ્વીરમાં ધોની અને ચહલ સાથે છે. જ્યારે બીજી તસ્વીરમાં ધોનીની વાઇફ સાક્ષી પણ તેમની સાથે છે. 

જોકે, ચહલની વાઇફ ધનશ્રીએ જે તસ્વીર પોષ્ટ કરી છે, તેમાં સ્પષ્ટ જાણી શકાય છે કે ભોજનમાં શુ પીરસવામાં આવ્યુ હતુ. ધોની અને સાક્ષીના ઘરે તેમની મહેમાન નવાજી કરવા દરમ્યાન તેમના જમવાની પસંદને ધ્યાનમાં રખાઇ હોય એમ લાગે છે. તસ્વીરો થી સાફ જણાય છે કે ડિનર પાર્ટી પ્યોર વેજીટેરીયન હતી. જેમાં બટાકાની સુકી ભાજી, ભીંડી ભજીયા, દાલ ચાવલ જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી.  ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરી ચુક્યા છે. જ્યારે ચહલ હાલમાં ટેસ્ટ ટીમ થી દુર છે. હવે તે ઇંગ્લેંડ સામેની ઘરેલુ સીરીઝમાં મેદાન પર પરત ફરશે.