રાજકોટ-
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ અભય ભારદ્વાજની ચેન્નઈ ખાતે સારવાર ચાલી રહી છે. સમાચાર આવ્યા છે કે, ચેન્નઇ ખાતે આપવામાં સારવારથી તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આગામી થોડા દિવસોમાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. તેમને ડિસ્ચાર્જ આપ્યાં બાદ રાજકોટ લાવવામાં આવશે.સાંસદ અભય ભારદ્વાજના ફેફસા ફરી જાતે કાર્યરત થતા રજા આપવામાં આવશે. એકમો ટ્રીટમેન્ટની મદદથી તેમની તબિયતમાં સુધારો થયો છે.
છેલ્લા અઢી મહિનાથી કોરોનાની સારવાર પછી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની ચેન્નઇની MGM હોસ્પિટલમાં ફેફસાની સારવાર લઈ રહ્યા છે. ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ તેમની સારવાર કરી રહ્યા છે.અગાઉ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હોવાનું તેમના ભાઇ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. વિખ્યાત ડો. કે. આર. બાલાક્રિષ્નન ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. કોરોના કાળમાં અને તે પહેલાં અનેક કપરાં કેસોમાં ડૉ. બાલાક્રિષ્નન સફળતા મેળવી ચૂક્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments