અમદાવાદ,તા.૨૬ 

અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે એએમસી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ૪૫૦૦ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે. કોરોનાના લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે ત્યારે હવેથી અર્બન કેન્દ્રોના મેડિકલ ઓફિસર ખાનગી પ્રતિષ્ઠીત ડાયોગ્નોસ્ટીક સેન્ટરમાં દર્દીનો એચ.આર.સી.ટી. ચેસ્ટ નિઃશુલ્ક કરાવી શકશે. હવેથી અર્બન સેન્ટરોમાં કોરોનાનું શરુઆતમાં જ ૯૭% સચોટ નિદાન કરતો ટેસ્ટ તદ્દન મફતમાં કરી શકાશે. એએમસી દ્વારા શહેરને કોરોનામુકત કરવા ૪૫૦૦ ની કિંમતનો અત્યંત વિશ્વસનીય ટેસ્ટ એચ.આર.સી.ટી. ચેસ્ટ (થોરાક્ષ) તમામ અર્બન કેન્દ્રોના ઓપીડી પ્રિસ્ક્રિપ્શનથી મફતમાં થશે. શહેરના તમામ નાગરિકોને આનો નિઃશુલ્ક લાભ મળશે અને શરુઆતમાં માઇલ્ડ સ્ટેજમા જ દર્દીનું સચોટ નિદાન થઇ જતા પેશન્ટને મોડરેટ કે સિવિયર (ગંભીર) સ્ટેજમાં જતા અટકાવી શકાશે.