અમદાવાદ-

અત્યારસુધીમાં તમે ઘર કંકાસના અનેક કિસ્સા સાંભળ્યા હશે. જેમાં મોટાભાગે પતિએ પત્ની પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ હોય છે. જાેકે, શહેરના નવરંગપુરામાં એક પત્ની માથાભારે બનીને પતિ પર અત્યાચાર ગુજારતી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી વ્યક્તિએ વર્ષ ૨૦૧૧માં મહેસાણાની એક મહિલા સાથે પરિવારની સંમતિ વગર લગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના સમયમાં તેની પત્ની સારી રીતે રહેતી હતી. પરંતુ કેટલાક સમય બાદ નાની નાની બાબતોમાં ફરિયાદી અને તેના માતા-પિતા સાથે ઝઘડા કરતી હતી.

જે બાદમાં તેઓ વર્ષ ૨૦૧૬માં નવરંગપુરા ખાતે મકાન લઈને તેમના પુત્ર સાથે અલગ રહેવા માટે ગયા હતા. જાેકે, ત્યાં પણ તેની પત્ની તેમને બે ત્રણ દિવસ સુધી જમવાનું બનાવી આપતી ન હતી. આ કારણે ફરિયાદી અને તેમનો પુત્ર ફ્લેટમાં આસપાસના રહીશોને ત્યાં જમવા માટે જતા હતા. જે અંગેની જાણ તેના માતાપિતાને થતા તેઓ પણ અહીં રહેવા માટે આવ્યા હતા. આ સમયે ફરિયાદીની પત્ની તેની માતાને ગંદા શબ્દો બોલતી હતી.

ફરિયાદીની માતા તેમના માટે રસોઈ બનાવતી હતી ત્યારે તેની પત્નીએ માથાના વાળ પકડીને મારી નાંખવાની ધમકી આપી હતી. જાેકે, તેના પુત્રએ આજીજી કરતા તેને છોડી દીધી હતી. બાદમાં ચોથી ફેબ્રુઆરીએ ફરિયાદીની પત્નીએ ચોથા માળેથી પાણીની બોટલ નીચે નાંખી હતી. ફરિયાદીએ આ અંગેનું કારણ પૂછતાં તેણે બીભત્સ ગાળો આપીને લાફા માર્યા હતા. જેની જાણ પોલીસને કરતા હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.