વડોદરા : બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ મથકે બળાત્કારની નોંધાયેલી વધુ એક ફરિયાદમાં પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની સાધિકા દિશાબેનને ઝડપી પાડી છે. જ્યારે અન્ય એક સાધિકા દુબઈ ભાગી છૂટી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જેલમાંથી ઠગભગત અને હૈવાન પ્રશાંત ઉપાધ્યાયનો ટ્રાન્સફર વોરંટથી કબજાે મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે. સગીરાએ ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાય જુદી જુદી સાધિકાઓનો ઉપયોગ કરી યુવતીઓને ભોગવતો હતો એની સ્પષ્ટતા થતાં ગોત્રી પોલીસે દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે જાેન (રહે. ૧૦૪, કાન્હા ગોલ્ડ, બીપીએસ સ્કૂલ પાસે, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડી કોરોનાના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે, જે બાદ એની સત્તાવાર ધરપકડ કરી પૂછપરછ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
યુવતીઓને ભોળવી ધાકધમકી આપી પાખંડી પ્રશાંત ઉપાધ્યાય પાસે મોકલનાર અન્ય આરોપી દીક્ષા જશવાની ઉર્ફે સીમા (રહે. કાન્હા ગોલ્ડ, વાઘોડિયા રોડ)ની તપાસમાં એ દુબઈ ભાગી છૂટી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઉન્નતિ જાેશી નામની અન્ય સાધિકાની પણ પોલીસ શોધખોળ ચલાવી રહી છે. આ બધી સાધિકાઓનો ફરિયાદમાં ઉલ્લેખ છે અને આખા બળાત્કારના મામલામાં એમની ભૂમિકા મહત્ત્વની છે. ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પાખંડી પ્રશાંત ઉપાધ્યાય આશ્રમમાં સેવા કરવા માટે આવનાર યુવતીઓને પોતાની સેવા કરવા માટે ખાસ રખાયેલી સેવિકાઓ કે જેમાં શિલ્પા, જાેન, વિજયા, દિશા સચદેવા, દીક્ષા જશવાની ઉર્ફે સીમા અને ઉન્નતિ જાેશીના નામનો સમાવેશ થાય છે. આ સાધિકાઓ મારફતે પ્રશાંત સેક્સનો આ ખેલ ખેલતો હોવાનું માનવામાં આવે છે. આ સેવિકાઓના માધ્યમથી પ્રશાંત ઉપાધ્યાય પોતાની મનપસંદ સત્સંગી યુવતીઓને કહેવડાવતો હતો અને એ સેવિકાઓ યુવતીઓને આગ્રહ કરી પ્રશાંતના બેડરૂમ સુધી પહોંચાડવામાં આવતી હતી, જ્યાં કામવાસનાનો સિલસિલાબદ્ધ ખેલ શરૂ થતો હતો. ગોત્રી પોલીસે દિશા ઉર્ફે જાેનને ઝડપી પાડી છે, જ્યારે દીક્ષા જસવાની ઉર્ફે સીમા દુબઈ ભાગી છૂટી છે ત્યારે અન્ય સાધિકાઓની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પ્રશાંતને લવાયા બાદ આ મામલે વધુ તપાસ આગળ વધશે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે.
પાખંડીની પાપ લીલાના પ્રકરણમાં દિશા ઉર્ફે જાેનની શું ભૂમિકા હતી?
આશ્રમમાં સેવા કરાયાના થોડાં દિવસો બાદ અંગત સેવિકાઓ દ્વારા પ્રશાંત ઉપાધ્યાયના બેડરૂમમાં પાણી લઈને સગીરાને મોકલવામાં આવી હતી. ત્યાર બાદ પ્રશાંતના પગ દબાવવા માટે સગીરાને પટાવી-ફોસલાવીને મોકલવામાં આવી હતી. સેવિકાઓ દ્વારા તમામ રીતે પ્રશાંતની પાપલીલા પોષવા માટે અનુકૂળ કામ કરવામાં આવતું હતું. એક રાત્રે પગ દબાવતી વેળાએ પ્રશાંત ઉપાધ્યાય યુવતીના બંને ગાલ પર હાથ મૂકી કહ્યું કે તું મને બહુ ગમે છે, આઈ લવ યુ... હું તારા વગર જીવી શકીશ નહીં, તારી ફિગર મને બહુ ગમે છે તેમ જણાવી પ્રશાંતે યુવતીની નજીક આવવાનો પ્રયાસ કરી પોતાની કુચેષ્ટા વ્યક્ત કરી હતી. બીજા દિવસે સવારે દિશા ઉર્ફે જાેને યુવતીને જણાવ્યું હતું કે રાત્રે ગુરુજીએ જે કાંઈ વાત કરેલ છે તે તારી ભલાઈ માટે કરેલ છે તે રીતે ગુરુજી તને આશીર્વાદ આપવા માગે છે. આ બાબતની જાણ તું તારા માતા-પિતા અને આશ્રમમાં આવતી કોઈ વ્યક્તિને કરીશ નહીં, ગુરુજી ધારે તે કરી શકે છે.
Comments