રાજકોટ-

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી સક્રિય થયા છે. જાે કે સક્રિય થતાં જ તેમણે આડકતરી રીતે કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચારીઓ હોવાનો સ્વીકાર કર્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વોર્ડ નંબર ૯માં જાહેર સભાને સંબોધી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે હું ફરી એક્ટિવ એટલા માટે થયો છું કેમકે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે. મને પણ મારા પક્ષ સામે વાંધો છે.

મારા પક્ષમાંથી આ જ સમાજમાંથી લોકો આવે છે. જાે તમને મળે તો તમે પણ થોડું ઘણું કરી જ લેવાના છો એમ જણાવી ઇન્દ્રનીલે આડકતરી રીતે કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચારીઓ હોવાનું સ્વીકાર્યું હતું. જાે કે તેમણે જણાવ્યું કે કોંગ્રેસની વિચારધારા મજબૂત હોવાથી હું પક્ષ સાથે છું.