દિલ્હી-

યુપીના સીએમ યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે, મને નથી લાગતુ કે યુપી કે દેશના બીજા કોઈ રાજ્યના વ્યક્તિને પણ જય શ્રી રામ બોલવામાં વાંધો હોય. રામ આપણા પૂર્વજ હતા અને તે વાત પર આપણને ગર્વ હોવો જાેઈએ. જે લોકો એવુ નથી માનતા તેમના ડીએનએ પર મને શંકા જાય છે.

એક કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, હું સમયાંતરે તમામ ધર્મના ધર્મગુરુઓને મળતો હોઉ છું અને તેમની વાતાનો ધ્યાનથી સાંભળુ છું. આજે યુપીનો દરેક વ્યક્તિ માને છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તોફાન થયા નથી અને જાે તોફાનો થાય છે ત્યારે બંને પક્ષને નુકસાન થતુ હોય છે. એક પક્ષ સુરક્ષિત રહે તો બીજાે પક્ષ પણ સુરક્ષિત રહેશે. યોગીએ કહ્યુ હતુ કે, દુનિયાની સૌથી વધારે મુસ્લિમ વસતી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા પણ રામને પોતાના પૂર્વજ માન છે. ત્યાં મુસ્લિમો રામલીલા કરે છે.રામ આપણા પૂર્વજ હતા તેના પર આપણને ગૌરવ હોવુ જાેઈએ. જાે ઈન્ડોનેશિયા ગૌરવ કરતુ હોય તો આપણે કેમ ના કરી શકીએ. જે આવુ નથી માનતુ તેના પર અને તેના ડીએનએ પર મને શંકા જાય છે.