શ્રીનગર-

દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના પજલપુરા બાજભારામાં આતંકવાદીઓએ ટિપર વાહનોમાં આઈઈડી વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. ઘટના પછી સમગ્ર વિસ્તારને સુરક્ષા બળના જવાનોએ ઘેરી લીધો છે. પોલીસે આ અંગેના મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ ટિપર વાહનોમાં ઓછી તીવ્રતાવાળા આઈઈડી રાખ્યું હતું, જેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કોઈ પણ ઈજાગ્રસ્ત થયા હોય તેવા કોઈ સૂચના નથી. ઘટનાસ્થળ પર ઊભા રહેલા વાહનોને ખૂબ જ નુકસાન થયું હતું.

એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ દક્ષિણી કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બિજબહેડાના પજાલપોરા વિસ્તારમાં આવેલા સીઆરપીએફના કેમ્પના વાહનને નિશાન બનાવ્યું હતું. જાેકે, આ વિસ્ફોટ બાદ સુરક્ષા બળોએ હવામાં કેટલીક ગોળીઓ પણ ચલાવી વિસ્તારની ઘેરી લીધો હતો. પોલીસે હમલાખોર આતંકવાદીઓની તપાસ શરૂ કરી છે.