કાનપુર-

ઉત્તર પ્રદેશના કાનપુરના બિકરુ ગામમાં ૮ પોલીસકર્મીઓની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના બાદ કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનું સામ્રાજ્ય પણ નષ્ટ કરી દેવાયું. વિકાસ દુબે સહિત તેના મોટાભાગના ગુંડાઓનું એન્કાઉન્ટર કરી દેવાયું. ૮ પોલીસકર્મીઓની શહીદી પર વિકાસ દુબેની પત્ની રુચા દુબે દુઃખ વ્યક્ત કરે છે. ઋચાનું કહેવું છે કે, પતિ અને પિતા તરીકે વિકાસ ઘણો સારો હતો, પરંતુ તે પોતાની ખોટી આદતો છોડી શકતો ન હતો. તેણે કહ્યું કે, ૨-૩ જુલાઈએ જાે તે બિકરુમાં હોત તો આ બધું ન થાત. ઋચાએ કહ્યું કે, 'હું જ વિકાસને ગોળી મારીને વિધવા થઈ જાત. ઘણા લોકો વિધવા બને તેનાથી તો સારું જ હોત.'

ઋચા કહે છે કે, 'હું કયારેય નહોંતી ઈચ્છતી કે મારા બાળકો વિકાસ જેવા બને. મેં તેમને ઘણા સમજાવ્યા, પરંતુ તેમણે ક્્યારેય મારી વાત ન સાંભળી. હું મારા બાળકોને ત્યાં મુલાકાત કરાવવા ચોક્કસ લઈ જતી હતી. હું ઈચ્છતી હતી કે વિકાસના કોઈપણ કૃત્યથી મારા બાળકો પ્રભાવિત ન થયા.' વિકાસ સાથે ઋચાના લગ્ન ૨૩ વર્ષ પહેલા થયા હતા.

કરોડોની સંપત્તિના સવાલ પર વિકાસ દુબેની પત્ની ઋચાએ કહ્યું કે, 'આ બધી ખોટી વાતો છે. જાે મારી પાસે કરોડો રૂપિયા હોત તો હું નાના ઘરમાં રહેવાને બદલે વિદેશમાં રહેતી હોત. હું વિકાસ દુબેના કૃત્ય પર એ બધા પરિવારોની માફી માગું છું, જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.' સીસીટીવીથી બિકરુનો ઘટનાક્રમ જાેઈ રહી હતી, એ સવાલ પર વિકાસની પત્નીનું કહેવું છે કે, 'સીસીટીવી ૪થી ૬ મહિના પહેલા જ લાગ્યા હતા. જ્યારે કેમેરા લાગ્યા તો એ અમારા માટે નવો અનુભવ હતો. બાકી અમે જાેઈ રહ્યા હતા, એ વાત તદ્દન ફેક છે.