અમદાવાદ-
દિવાળી વેકેશન આજથી ફરી એકવાર સ્કૂલો શરૂ થશે. ત્યારે સ્કૂલોમાં શિક્ષકોએ આજે થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું. સરકાર દ્વારા શિક્ષકોને ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન અપાયું હતું. દિવાળી વેકેશન પૂર્ણ થતાં ફરી એકવાર બાળકોના ઓનલાઈન કલાસ પણ શરૂ થશે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બાળકો સ્કૂલોમાં જઈ અગાઉની જેમ અભ્યાસ નથી કરી શક્યા. સરકારના ર્નિણય મુજબ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખૂલશે.
આવામાં શાળામાં તમામ તૈયારીઓને પણ આખરી ઓપ અપાશે. જાેકે કોરોનાના કેસોમાં વધારો નોંધાતા સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે વાલીઓ હાલ રાહ જાેવાના મૂડમાં છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો ર્નિણય હજુ થોડો મોડો કરે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે. આગામી ૨૩ નવેમ્બરથી ધો.૯ થી ૧૨ ની શાળા શરૂ થવાની છે. ત્યારે સરકારના આ ર્નિણય મામલે વાલીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,
સરકારે જાહેરાત કરી ત્યારે અને હાલની સ્થિતિમાં ફરક છે. હાલમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, બાળકો ગભરાઈ રહ્યા છે. પરિસ્થિતિ સુધરે તે બાદ સરકારે નવો ર્નિણય કરવો જાેઈએ. બાળક જીવતા રહેશે તો ભણી શકશે. બાળકો સંક્રમિત થશે તો તેમના પરિવાર પર સીધી અસર થશે. હાલના તબક્કે વિદ્યાર્થીઓને બોલાવવા જાેઈએ નહિ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments