એપલ સાઈડર વિનેગરના ઘણા ફાયદા છે. સફરજનના જ્યૂસને લાંબો સમય ફર્મેન્ટ કરીને બનાવવામાં આવતો 'એપલ સીડર વિનેગર' વિદેશોમાં બહુ જ પ્રચલિત છે. તેનાથી હેલ્થને ઘણા ફાયદા થવા ઉપરાંત વજન પણ ઊતરે છે. પેસ્ચ્યુરાઇઝેશન અથવા ઓર્ગેનિક વિનેગરમાં નીચેના ભાગમાં 'મધર' હોય છે, જેને હલાવીને વાપરવામાં આવે છે. એસિટિક એસિડ અને બેક્ટેરિયાના કારણે તે સ્વાદમાં ખારો લાગે છે. તેમાં રહેલા રો એન્ઝાઇમ્સ શરીર માટે લાભકારક છે. જાણો એપલ સીડર વિનેગરના ફાયદા.

પલ સીડર વિનેગર :-

શરીરનું હેલ્ધી PH level મેઇન્ટેન કરે છે. આપણામાંના લગભગ બધા 'એસિડિક' પ્રકૃતિ ધરાવીએ છીએ. વધુ આલ્કલાઇન બોડી વધુ હેલ્ધી ગણાય છે. એક નાનો બદલાવ ખોરાકમાં કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હેલ્ધી શરીર માટે સૌથી જરૂરી શરીરને આલ્કલાઇન કરવાનું છે. રોજ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એસીવી મિક્સ કરીને પીવાથી ઘણાં ફાયદા મળે છે. તમે સવારે આ ડ્રિંક પી શકો છો.

વજન ઉતારવામાં મદદરૂપ થાય છે :

Acv વજન ઉતારવામાં મદદરૂપ છે. તે પાચકરસોને મેન્ટેન કરે છે. જેથી ખોટી ભૂખ લાગતી નથી.

શુગરનું પ્રમાણ રેગ્યુલર જળવાય છે :

ટાઇપ 2 ડાયાબિટીસમાં Acv લેવાથી શુગરનું પ્રમાણ જળવાય છે. રાત્રે સૂતાં 2 ચમચી Acv પાણીમાં લેવાથી બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થાય છે.

બ્લડપ્રેશર મેન્ટેન રહે છે :

Acv બ્લડપ્રેશરને મેન્ટેન રાખે છે. Acvમાં પોટેશિયમ છે જે શરીરના સોડિયમ લેવલને મેઇન્ટેન કરે છે. તેમાં મેગ્નેશિયમ પણ છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂ થાય છે.

હાર્ટ હેલ્ધી રહે છે :

Acv લેવાથી ટ્રાઇગ્લિસરાઇડ પણ ઘટે છે. તેમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ LDL કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે અને હાર્ટના રોગથી દૂર રહેવાય છે.

પાચન વધુ સારું કરે છે :

અપચો, ગેસ, વાયુ, એસિડિટી વગેરે પાચનને લગતા રોગો ઓછા થાય છે.

ઓસ્ટિઓપોરોસિસ થતો અટકાવે છે :

65 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં ઓસ્ટિઓપોરોસિસ વધુ જોવા મળે છે. Acvથી શરીર કેલ્શિયમ એબ્સોર્બ કરીને હાડકાં મજબૂત બનાવે છે.