ગાંધીનગર-

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપારીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે. મંત્રીમંડળની બેઠકમાં બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો પરંતુ વિવિધ મુદા પર સરકાર ઈઝ ઓફ ડુઈઝ બિઝનેસને આગળ વધારવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થઈ શકશે.

હવે રાજયમાં કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઈજનેરી કોલેજ અને અન્ય શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા માટે કલેકટરની પરવાની લેવી નહીં પડે આવી જમીન ખરીદયા બાદ એક મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે અને બોનાફાઈટ ઈન્ડસ્ટ્રીઝ પરપઝની જેમ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.

ભૂતકાળમાં આવી જમીનો ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યકિતઓએ જિલ્લા કલેકટરની મંજૂરી મેળવવી આવશ્યક હતી પરિણામે લાંબો સમય સુધી ટાઈટલ કિલયરન્સ, ઈન્સ્પેકશન જેમાં લાંબો સમય પસાર થતો હતો પરિણામે પ્રોજેકટ શરૂ કરવામાં વિલબં થતો હતો આ નવા ક્રાંતિના કારણે તમામ પ્રકારની માથાકૂટનો અતં આવશે.

રાજ્યમાં બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ પરપઝ માટે જો જમીન ખરીદી કરવામાં આવી હોય પરંતુ ઔધોગક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈ મુજબ ઉધોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચી શકાશે.આવી જમીનના કિસ્સામાં કંપનીના મર્જર પોઈન્ટ વેન્ચર એમલ્ગેશન કે પોતાની જ પેટા કંપની, ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદિલ કરાયો, જમીનને વેચાણ ગણવામાં આવશે નહીં આવા વ્યવહારમાં ૧૦ ટકા જંત્રીનું પ્રિમિયમ ભરીને તબદિલ કરી શકાશે.

ડેટ રિકવરી, દેવા વસુલી એનસીએલ-૪ લીકવીડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં જમીન ખરીદનારે ફરજિયાત હુકમના ૬૦ દિવસમાં જંત્રીના ૧૦ ટકા પ્રિમિયમ ભરીને પોતાના નામે કરી શકશે. આ નિર્ણયને પરિણામે ઉધોગ સાહસિક દ્રારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનનાં પ્રશ્નોનું નિરાકરણ આવશે પડતર રહેલી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે નવી તકો રોજગારીની નવી દિશા ખુલવાની શિક્ષણ સહિત મેડિકલ ઈજનેરી આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી તકો ખુલશે