વડોદરા

સેકન્ડ વેવ પીક પર પહોંચ્યા બાદ હવે કોરોનાનું જાેર ઘટી રહ્યુ છે. બિન સત્તાવાર સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં ૮૬ લોકોના મોત નિપજ્યા હતા.જાેકે,તંત્રના જણાવ્યા મુજબ વિતેલા ર૪ કલાકમાં વધુ ૬ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૫૫૭ થયો છે. આજે કોરોનાના વધુ ૮૬૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ ૭૬૫ દર્દીઓ સ્વસ્થ થતા તેમને િડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

છેલ્લા બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવમાં હાહાકાર મચ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ધટાડો થતા તંત્રએ રાહત અનુભવી હતી. વિતેલા ર૪ કલાકમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાના કારણે ૮૬ લોકોનાં મોત થયાં છે.જાે કે, તંત્ર દ્વારા વધુ ૬ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૫૫૭ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૫૧૨ સેમ્પલો પૈકી ૮૬૨ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૯૬૫૦ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે આજે એક્ટિવ કેસોની સંખ્યા ધટીને ૯,૮૯૫ થઈ છે. જે પૈકી ૪૩૮ ઓક્સિજન સપોર્ટ પર અને ૨૮૩ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૯,૧૭૪ દર્દીઓ સ્ટેબલ છે.

શહેર જિલ્લામાં આજે વધુ ૭૬૫ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ૫૨.૧૪૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા ૭,૮૭૭ થઈ છે. પોઝિટિવ આવેલા કુલ દર્દીઓ પૈકી સૌથી વધુ ૨૩,૩૮૮ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં ૮૬૬૮ , પશ્ચિમ ઝોનમાં ૧૦,૦૩૩, ઉત્તર ઝોનમાં ૧૦,૩૮૪ અને દક્ષિણ ઝોનમાં ૧૦,૦૬૬ કેસ નોંધાયા છે અને ૩૬ કેસ જિલ્લા કે રાજ્ય બહારના છે.

ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે ૩૭ તાવના અને ૧૨૦ શરદી, ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આી હતી. જ્યારે ડિસ્ચાર્જ આપવામાં આવેલે દર્દીઓની સંખ્યા ની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તેમજ ઓપીડીની સંખ્યામાં પણ ધટાડો થઈ રહ્યાનુ તંત્રએ જણાવ્યુ હતુ.

ગોત્રી અને સયાજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો

કોવીડની બીજી લહેર ટોચ પર હતી ત્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોની ભીડથી ઉભરાતી ગોત્રી હોસ્પિટલની ઓપીડીમાં હવે દર્દીઓની ભીડ ઘટી રહી છે. હાલ અહીં ૪૯૬ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ગોત્રી સાથે સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ નવી ભીડ ઘટી છે ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ ખાતે પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.હાલમાં અહીં ૪૮૫ કોવિડ દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ સયાજી હોસ્પીટલમાં સારવાર હેઠળના મ્યુકરમાઇકોસિસ ના દર્દીઓ ની સંખ્યા વધીને ૧૨૨ થઈ છે. અન્ય ૪૨ દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.