અમદાવાદ-

ઉત્ત્।રાયણની મજા દ્યણાં લોકો માટે સજા બનતી હોય છે. આવામાં ઉત્ત્।રાયણ દરમિયાન ટુવ્હિલર કે અન્ય રીતે અવર-જવર કરનારા લોકો માટે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે. આ વર્ષે પણ ઘણાં લોકો માટે ઉત્તરાયણ ઘાતક સાબિત થઈ છે. ઉત્ત્।રાયણ દરમિયાન પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા ૨૯૦૦ કરતા વધુ કેસ ૧૦૮ ટીમને મળ્યા હતા. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ આંકડો ઘટ્યો છે પરંતુ માજાના કારણે ગળા કપાવાની કિસ્સા યથાવત રહ્યા છે. જેમાં ઘણાં રાહદારીઓને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વિસ્તૃતમાં આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં કુલ ૭૭ મેડિકલ ઈમર્જન્સીના કોલ આવ્યા છે. જેમાંથી ૨૨ લોકો દ્યાબા પરથી પડ્યા હોવાના અને ૨૮ લોકોને દોરી વાગવાના કારણે દ્યાયલ થવાની દ્યટના બની છે. આ રીતે વડોદરામાં ૨૦ અને રાજકોટમાં ૧૬ જયારે સુરતમાં કુલ ૧૪ જેટલા મેડિકલ ઈમર્જન્સી માટે કોલ આવ્યા છે, જેમાં દોરીના કારણે દ્યાયલ થવાના અને અકસ્માતે પડી જવાના કિસ્સા નોંધાયા છે. 

રાજયની ૧૦૮ની ઈમર્જન્સી મેડિકલ સેવા માટે સવારથી રાત સુધીમાં ૨૦૪૦ કોલ આવ્યા છે, પરંતુ આ આંકડો પાછલા વર્ષની સરખામણીએ ઓછો છે. પાછલા વર્ષે નોંધાયેલા કેસ કરતા આ વર્ષે ૫૦૦ કરતા વધારે કેસ દ્યટ્યા છે. ૨૦૨૦ના ઉત્ત્।રાયણમાં પતંગની દોરીથી ઘાયલ થવાના અને અકસ્માતે પડી જવાની ઘટનાના ૩૪૭૮ કોલ આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ કુલ કેસમાં ૨૧૦ જેટલા કેસ એવા હતા કે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડ્યા હતા. 

ઈમર્જન્સી મેડિકલ સેવા માટે ૧૦૮દ્ગચ દિવસ દરમિયાન મળેલા ૨૯૦૦ કરતા વધુ કોલ્સ પર નજર કરીએ તો બપોરે ૧૨ વાગ્યુ સુધીમાં કુલ ૧૦૫૭, ૧ વાગ્યા સુધીમાં ૧૨૦૫, ૩ વાગ્યા સુધીમાં ૧૬૫૦, ૬ વાગ્યા સુધીમાં ૨૩૦૫, ૮ વાગ્યા સુધીમાં ૨૭૭૪ અને રાત્રે ૯ સુધીમાં આંકડો ૨૯૬૦ પર પહોંચી ગયો હતો.