અમદાવાદ-

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં પહેલીવાર નવા કેસની સંખ્યા 100થી ઓછી થઇ છે આજે નવા 96 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 315 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 96 કેસમાં અમદાવાદમાં 21 કેસ, વડોદરામાં 16 કેસ, સુરતમાં 14 કેસ, રાજકોટમાં 9 કેસ, અમરેલીમાં 6 કેસ, જૂનાગઢમાં 5 કેસ, જામનગરમાં 4 કેસ, બનાસકાંઠા અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 96 નવા કેસ નોંધાયા તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 315 દર્દીઓ સાજા થયાં