અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1035 થી વધુ નોંધાયા છે. જેની સામે 1321 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3751 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1035 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,78,633 થયો છે. તેની સામે 1,62,846 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,78,633 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 12,036 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,78,633 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 12,036 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 69 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 11,967 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,62,846 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3751 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.