અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1243 થી વધુ નોંધાયા છે. જેની સામે 1518 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં 09 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3550 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1243 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,49,194 થયો છે. તેની સામે 1,29,441 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,49,194 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,203 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,49,194 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,203 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 83 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,120 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,29,441 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3550 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.