અમદાવાદ-

અન્ય વ્યવસાયોની જેમ ૨૦૨૦માં ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ પ્રભાવિત થયુ હતું. પરંતુ જુલાઈ મહિનામાં રાજ્યમાં કારના વેચાણમાં ચોંકાવનારો વધારો જાેવા મળ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના ડેટા અનુસાર જુલાઈમાં રાજ્યમાં ૪૧,૨૬૨ કાર વેચાઈ હતી. પાછલા પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે. અહીં રસપ્રદ બાબત એ છે કે, ૭૦ ટકા કારનું વેચાણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના શુભ દિવસે લોકો વાહન ઘરે લાવવાનું પસંદ કરતા હોય છે. જુલાઈ મહિનો જગન્નાથ રથ યાત્રાનો મહિનો હોવાને કારણે વેચાણમાં ૩૫.૧૭ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૭ પછી આ પહેલીવાર એવુ બન્યું છે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં કારનું વેચાણ થયું હોય. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે ફોર વ્હીલર્સની ખરીદીમાં તેજી આવવાને કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આશા જાગી છે.જાે આ વર્ષની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, ૨૦૨૧થી જુલાઈ સુધી સાત મહિનાના સમયગાળા દરમિયાન કુલ ૬.૬૩ લાખ કાર વેચાઈ છે. પાછલા પાંચ વર્ષમાં આ પણ એક મોટો આંકડો છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી ૧,૮૯,૨૭૧ કારનું વેચાણ થયું છે. ૨૦૧૭થી અત્યાર સુધીની વાત કરીએ તો, ૨૦૧૮માં વેચાણનો આંકડો ૧,૯૩,૫૯૧ પર પહોંચ્યો હતો. ઓટોમોબાઈલ ડીલર્સનું કહેવું છે કે, લોકો મહામારીના નુકસાનમાંથી બહાર આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ સિવાય લાગી રહ્યું છે કે કોરોના મહામારે ધ્યાનમાં રાખીને લોકો કારથી મુસાફરી કરવાને વધારે સુરક્ષિત માને છે. હ્લછડ્ઢછના ચેરમેન જણાવે છે કે, અમને આશા છે કે કારની ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રહેશે. વેચાણ પરથી અનુમાન લગાવી શકાય કે અર્થવ્યવસ્થા સ્થિર થઈ રહી છે અને ટ્રેક પર આવી રહી છે. એન્ટ્રી લેવલના વાહનો તેમજ જીેંફ સેગમેન્ટમાં પણ મોટી સંખ્યામાં વેચાણ થયું છે.